એચડીઆઇએલનો શેર ત્રણ દિવસમાં 35 ટકા તૂટી ગયો છે. કંપનીના એમડી સારંગ વધવાને મંગળવારના રોજ ઓપન માર્કેટમાં કંપનીના 50 લાખ શેર 57 કરોડ રૂપિયામાં વેચ્યા છે. ત્યારબાદ એચડીઆઇએલ બહુ ખરાબ રીતે નાણાંકીય સંકટમાં ફસાયાની અટકળો લગાવામાં આવી રહી છે. જોકે, તેના પર કંપનીના મેનેજમેન્ટે કૉનકૉલ દ્વારા પોતાની સફાઇ આપી છે.
આજે પણ કંપનીનો શેર સતત તૂટી રહ્યો છે. બપોરે 2.45 વાગ્યે 17.35%ના કડાકા સાથે રૂ.79.55 પર ટ્રેડ થઇ રહ્યો હતો.