દેશમાં મોબાઇલ યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મોબાઇલ યુઝર્સના મામલામાં ભારત નંબર વન પર છે. અહીં અંદાજે 96 કરોડ લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે. એક-અકથી ચઢિયાતા મોબાઇલ ઑફર્સ, કેટલીય ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની અને સસ્તી કૉલિંગ તેના અગત્યના કારણોમાંથી એક છે. ત્યારે તેનો ફાયદો ઉઠાવતા યુઝર્સ પણ હવે 1 સિમની જગ્યાએ એક સાથે 2-2 સિમનો ઉપયોગ કરી રહ્યા છે.
કયારેક તમારે ઇરમજન્સી કોલ કરવો પડ્યો ત્યારે તમારા મોબાઇલમાંથી બેલેન્સ ખત્મ થઇ જાય તો? અને તે સમયે મોબાઇલને રિચાર્જ કરવાની પણ કોઇ સુવિધા ન હોય તો. એવા સમયે કોઇપણ મોબાઇલ યુઝરને પોતાનો ફોન બેકાર લાગવા લાગશે. યુઝર્સની આવી સમસ્યાને દૂર કરવા માટે આજે અમે તમને એક એવી સર્વિસીસ અંગે બતાવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે ઝીરો બેલેન્સમાં કૉલ કે એસએમએસ કરી શકશો અને ઇમરજન્સીની મદદ કરી શકશે.
ટેલિકોમ કંપનીઓની તરફથી આપવામાં આવેલી આ સુવિધાનો લાભ યુઝર્સને સીધો મળી શકે છે. તેનો ફાયદો ઉઠાવા માટે તમારે અલગથી કોઇ એપ્લીકેશન કે પછી કોઇ ટ્રીકના ભરોસે રહેવાની જરૂર નથી.
આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો ઝીરો બેલેન્સ હોવા પર પણ કઇ રીતે કરવો કોલ કે મેસેજ