Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
ઈન્કમટેક્સ ઈ રિટર્ન ફાઈલ કરવા ડિઝિટલ સિગ્નેચરની જરૂર નહિં રહે
Nimesh khakharia,Ahmadabad
| Apr 23, 2012, 18:21PM IST

ઈન્કમટેક્સ રિટર્નએ કરદાતાએ જાતે કરેલું ડિકલેરેશન છે એટલે તેમાં કરદાતાની સહિં કાયદા મુજબ જરૂરી છે. જે કરદાતાઓ માટે ડિઝિટલ સિગ્નેચર ફરજીયાત નથી તેમણે પણ ઈ રિટર્ન ફાઈલ થયાની રિસિપ્ટની પ્રિન્ટ આઉટ લઈને તેના પર સહિં કરીને તે કાગળ બેંગલોર મોકલવાનું રહે છે. આ કાગળ બેંગલોરમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરને મળે ત્યારબાદ જ તેનું રિટર્ન માન્ય ગણવામાં આવે છે.
ગુજરાતમાં ઈ રિટર્ન ખૂબ જ પ્રચલીત થતું જાય છે કારણ કે તેમાં ઈન્કમટેક્સના ધક્કા ખાવા પડતા નથી અને રિફંડ પણ સમયસર મળી જાય છે. ગુજરાતના ૩૦ લાખ કરદાતાઓમાંથી ગયા વર્ષે ૧૫ લાખ કરદાતાઓએ ઈ રિટર્ન ફાઈલ કર્યું હતું. આ ઈ રિટર્ન ફાઈલ કરનારાઓમાં ૮૨ ટકા એવા કરદાતાઓ હતાં જેમના માટે ઈ રિટર્ન ફરજીયાત નહોતું. ચાલુ વર્ષે ૨૦ લાખથી વધુ કરદાતાઓ ગુજરાતમાંથી ઈ રિટર્ન ફાઈલ કરે તેવી શક્યતાઓ છે. આ તમામ કરદાતાઓને ડિઝિટલ સિગ્નેચરમાંથી મુક્તિ મળી જશે અને જેમના માટે ડિઝિટલ સિગ્નેચર ફરજીયાત નથી તેવા કરદાતાઓને બેંગલોર પ્રિન્ટઆઉટ મોકલવામાંથી મુકિત મળી જશે.








