હોમ લોનના ઉંચા વ્યાજદરથી બચવા માટેનો ગોલ્ડન ચાન્સ

જો તમે હોમ લોનના ઊંચા વ્યાજ દરોથી પરેશાન છો તો તમારા માટે સોનેરી તક છે. દેશની મુખ્ય બેન્કોની સાથો સાથ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ પોતાના ગ્રાહકોને ઓછા વ્યાજ દર પર પોતાની લોનને શિફ્ટની તક આપી રહ્યું છે. ભારતીય સ્ટેટ બેન્ક, હાઉસિંગ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આઇસીઆઇસીઆઇ બેન્ક પોતાના ગ્રાહકોને હાલના વ્યાજ દરો પર લોન શિફ્ટ કરવાની ઓફર આપી રહ્યું છે.
જો કે આ સુવિધા માટે તમારે પરિવર્તન (કન્વર્ઝન) કિંમત બેન્કોને ચૂકવવી પડશે. દેશની સૌથી મોટી લોન આપનાર ભારતીય સ્ટેટ બેન્કે પોતાના હોમ લોન ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરી છે. બેન્ક હજુ 30 લાખ રૂપિયા સુધીની હોમલોન પર 10.75 વ્યાજ, 30 લાખથી વધુ અને 75 લાખ રૂપિયાથી ઓછા વ્યાજ પર 11 ટકા વ્યાજ અને 75 લાખ રૂપિયાથી વધુ લોન પર 11.25 ટકા વ્યાજ લઇ રહ્યા છે. એવામાં ગ્રાહક હજુ આ વ્યાજ દરો પરથી વધુ વ્યાજ આપી રહ્યું છે, તે પોતાની બેન્કોમાં હાલના વ્યાજ દરો પર લોન ચૂકવવી અરજી કરી શકે છે. એવામાં ગ્રાહકોને વેચેલી લોન પર નવા વ્યાજ દરોના આધાર પર લોન ચૂકવવાની તક મળી શકે છે.
હાઉસિંગ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એચડીએફસી) પણ આ પ્રકારના ગ્રાહકોને ઓછા વ્યાજ પર હોમ લોન શિફ્ટ કરવાની તક આપી રહ્યા છે. કંપનીના અધિકારીના મતે એચડીએફસી શરૂઆતથી આ સુવિધા ગ્રાહકોને આપી રહ્યું છે. તેના અંતર્ગત ગ્રાહકોને કન્વર્ઝન ફીના રૂપમાં કિંમત ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવી રહેલા વ્યાજ દર અને હાલના વ્યાજ દરા અંતરના 0.50 ટકા લેવામાં આવી રહી છે.








