નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓના શેરમાં ફાટફાટ તેજી

લોકસભામાં બેન્કિંગ બિલમાં સુધારાને મંજૂરી મળી જતા આજે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીના શેરોમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સિયલ શેરમાં સૌથી વધારો ઉછાળો જોવા મળ્યો હતો. શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સનો શેર 2.2 ટકા ઉછળ્યો હતો, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસનો શેર 1.9 ટકા વધ્યો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસનો શેર 1.24 ટકા ઉછળ્યો હતો. બજાજ ફાઇનાન્સિયલ સર્વિસીસનો શેર 5.91 ટકાના ઉછાળા સાથે આજે નવી ઊંચાઇએ પહોંચી ગયો છે. બજાજના શેરનો ભાવ રૂપિયા 1367 પર પહોંચ્યો છે.
આ બિલમાં બેન્કિંગ સેકટરના શેરહોલ્ડરોને વોટિંગ રાઇટ્સ મળતા પણ રોકાણકારો ખુશખુશાલ છે. વિદેશી રોકાણ આ ક્ષેત્રે આવે તેવી શક્યતા છે.
આથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર 1 ટકા અને બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર 1.3 ટકા ઉછળ્યો હતો.








