Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
એનઆરઆઇ માટે ખુશખબર: રેમિટન્સ પર નહીં લાગે સર્વિસ ટેક્સ
Agency | Jul 10, 2012, 17:37PM IST

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઇસી) એ આવી જાહેરાત કરી હતી. આ સ્પષ્ટતા એવા અહેવાલો વહેતા થતા કરવામાં આવી છે કે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા દેશમાં મોકલવામાં આવતી રકમ પર પહેલી જુલાઇથી 12 ટકાના દરે સર્વિસ ટેક્સ લાગશે.
વિકસતા દેશોમાં રેમિટન્સ મેળવતા દેશોમાં ટોચ પર રહેલા ભારતે વિશ્વ બેન્કના આંકડા પ્રમાણે 2011માં 64 અબજ ડોલરનું રેમિટન્સ મેળવ્યું હતું.
સૌથી વધુ રેમિટન્સ મેળવતા પંજાબ અન કેરળના મુખ્ય પ્રધાનોએ આ બાબત અંગે વડા પ્રધાન સાથે ચર્ચા કરી હતી.
સીબીઇસીએ વધુમાં જણાવ્યું હતું કે વિદેશી બેન્કને સર્વિસ પુરી પાડવા બદલ ભારતીય બેન્ક કે નાણાકીય સંસ્થાએ સર્વિસ ટેક્સ નહીં ચુકવવો પડે.
કેરળ, પંજાબ, તમિલ નાડુ અને આંધ્ર પ્રદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ખાડી દેશોમાં કામ કરે છે.








